Saturday, April 4, 2015

મને



પ્રત્યક્ષ થયેલું જગત
તર્કાતિત બને ,
ચેતનાનું કોઈ યથાર્થની રીતે
મારામાં પ્રગટીકરણ થાય
અને હું
મને-
મારી અવસ્થાને
સકલના અર્થમાં બાંધી
વર્ષોથી તરફડતી
એક સજીવતાને
મુક્ત કરવા મથું.
ધીમેશથી જળ પ્રવાહમાં
આરતીટાણે
પ્રગટાવેલો દીપ વહેતો કરતો હોઉં
એમહું મને સત્ય નીવડાવાવા
વધુ એક વાર
હયાતીનો ઉપયોગ કરું .
આમીન !
૨૦.૦૫.૮૧

No comments:

Post a Comment