કે
તમારી જેમ વહેલી ઊઠી
મંદિરે જાઉં
ને
લળી લળી લાગું પાય.
પણ
મારે તો સવારના પ્હોરમાં
ઉતાવળે રોટલા ટીપી
આડવેર કર્યો ના કર્યો
ને
ધાઉધૂસ નીકળી પડવાનું હોય છે
કામે.
નબળી દાનતનો શેઠ
કે વાંકદેખા કંટરાટીની નજરમાંથી બચવું
એ જ મારે મન
ખરી દેવપૂજા છે ને?
૩૧.૦૩.૧૯૯૭
No comments:
Post a Comment